HomeInternationalબલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ 17 સંદિગ્ધ આતંકવાદીઓને ઠાર માર્યા

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ 17 સંદિગ્ધ આતંકવાદીઓને ઠાર માર્યા

Date:

Related stories

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં...

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે...

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ: ♈ મેષ: આજે કામકાજમાં...

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...
spot_img

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં શટલ ટ્રેન પર ગયા અઠવાડિયે થયેલા બોમ્બ હુમલામાં સંડોવાયેલા 17 આતંકવાદીઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. 24 મેના રોજ ક્વેટામાં એક સ્ટેશન નજીક શટલ ટ્રેન પર થયેલા શંકાસ્પદ આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્યના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ ઘટના બાદ, સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુપ્તચર-આધારિત કામગીરી (IBO) હાથ ધરી હતી, જેમાં ૧૭આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ISPR ના એક નિવેદન મુજબ, સુરક્ષા દળોએ મસ્તુંગ, નુશ્કી, ઝેહરી, ખુઝદાર અને કેચમાં કાર્યવાહી દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓને અસરકારક રીતે નિશાન બનાવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભીષણ ગોળીબારમાં ફિત્ના-અલ-હિન્દોસ્તાન સાથે જોડાયેલા 17 આતંકવાદીઓ માર્યા ગયા. ISPR એ એ પણ અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી શષો, દારૂગોળો, મોટી માત્રામાં વિસ્ફોટકો અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IED) જપ્ત કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ આ પ્રદેશમાં અસંખ્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તલભ્ય એ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બાકી રહેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે શોધ કામગીરી ચાલુ છે.

મે ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં આતંકવાદી હુમલાઓમાં ટ્રેનો અને રેલ્વે માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ક્વેટામાં ચમન ગેટ નજીક એક લશ્કરી ટ્રેન અને પેશાવર જતી જાફર એક્સપ્રેસને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને મુસાફરો માર્યા ગયા હતા, અને બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.

આત્મઘાતી અને IED વિસ્ફોટોમાં ટ્રેનના એન્જિન અને અનેક કોચને ભારે નુકસાન થયું હતું, અને ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરીને પ્રતિક્રિયા આપી હતી. વધુમાં, રેલ્વે અધિકારીઓએ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં મુસાફરોની સલામતી સુનિ^તિ કરવા માટે ટ્રેન ટ્રાફિકને અસ્થાયી રૂપે બંધ કરવાનો અથવા ટેનોને ડાયવર્ટ કરવાનો સમાવેશ થાય છે.

Subscribe

Latest stories

spot_img