HomeGujaratવન વિભાગમાં મોટી ફેરફાર: 35 RFO અધિકારીઓની બદલી, કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

વન વિભાગમાં મોટી ફેરફાર: 35 RFO અધિકારીઓની બદલી, કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વહીવટી સુધારણા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 18 માર્ચ, 2026ના રોજ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યભરના 35 પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO – રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-2)ની સામુહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અપેક્ષિત આ નિર્ણયને વહીવટી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

વિભાગના ઉપ સચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, આ બદલીઓ રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તથા વર્કિંગ પ્લાન સર્કલ વચ્ચે કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વહીવટમાં ગતિ લાવવી અને ક્ષેત્રિય સ્તરે કાર્યક્ષમતા વધારવી છે.

આદેશ મુજબ, તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની હાલની ફરજમાંથી મુક્ત થઈને નવી નિમણૂંકના સ્થળે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનવું છે કે હાલ આ બદલીઓ ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયમાં અન્ય RFO અધિકારીઓ માટે પણ ટ્રાન્સફરનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

બદલીઓની યાદીમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હલચલ જોવા મળી છે. જીવરાજભાઈ દેસાઈને ભુજ મોનિટરિંગ રેન્જમાંથી નળ સરોવર ખાતે ખસેડાયા છે, જ્યારે નિખિલ નિમ્બાર્કને સાસણ ગીરથી ગાંધીનગર ઉર્જા રેન્જમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષાબેન વઘાશીયાને ખીજડિયા પરથી જોડિયા રેન્જમાં મોકલાયા છે. આ ઉપરાંત, શક્તિભાઈ ભાલિયાને ધ્રોલથી સંશોધન વિભાગ, આણંદપુરામાં અને હીરેનકુમાર પટેલને વાંકલથી વલસાડ વર્કિંગ પ્લાન રેન્જમાં બદલી આપવામાં આવી છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ બદલીઓમાં મહિલા અધિકારીઓને પણ સ્થાન મળ્યું છે. પ્રતિક્ષાબેન ચૌધરી (પાલનપુર), નીધિ ચૌહાણ (માણસા) અને જ્યોતિબેન વાજા (જૂનાગઢ) સહિતની અધિકારીઓનો સમાવેશ યાદીમાં થયો છે, જે વિભાગમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત બનાવે છે. આ સમગ્ર ફેરફારને રાજ્યના વન વ્યવસ્થાપનમાં નવી દિશા આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે, જેમાં વધુ સક્રિય અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Subscribe

Latest stories