Tuesday, Mar 10, 2026

વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા

2 Min Read

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ₹131 કરોડના ઇનામનું એલાન કર્યું છે. BCCI એ ફરી એકવાર T-20 વર્લ્ડ કપ 2026 જીતવા બદલ ખેલાડીઓ માટે પોતાનો ખજાનો ખોલ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે પોતાનો ખજાનો ખોલ્યો છે. BCCI એ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે T-20વર્લ્ડ કપ ચેમ્પિયન રહેવા બદલ ₹131 કરોડના ઇનામનું એલાન કર્યું છે. 8 માર્ચે, ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ત્રીજી વખત T-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. દરમિયાન, 10 માર્ચ, મંગળવારની સવારે, BCCI એ T-20 વર્લ્ડ કપ 2026 વિજેતા ટીમ માટે ભવ્ય ઇનામનું એલાન કર્યું.

BCCI એ ઈનામો અંગે સત્તાવાર માહિતી આપી છે. એક મીડિયા રિલીઝમાં, BCCI એ જણાવ્યું હતું કે ઈંઈઈ મેન્સ T-20 વર્લ્ડ કપ 2026 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બોર્ડ ટીમ ઈન્ડિયા માટે ₹131 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી રહ્યું છે. ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T-20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને પ્રતિષ્ઠિત ટ્રોફી જીતીને સફળતાપૂર્વક ટાઇટલનો બચાવ કર્યો. ભારત ટુર્નામેન્ટના ઇતિહાસમાં ICC મેન્સ T-20 વર્લ્ડ કપ જાળવી રાખનાર પ્રથમ દેશ બન્યો.

આ ટાઇટલ જીત સાથે, ભારત ઈંઈઈ મેન્સ T-20 વર્લ્ડ કપ ત્રણ વખત જીતનાર પ્રથમ ટીમ પણ બન્યું, જેણે ફોર્મેટના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બોર્ડ ફરી એકવાર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારોને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપે છે અને ભવિષ્યમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવે છે.

તમારી માહિતી માટે, BCCI એ 2024 માં T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ માટે ₹125 કરોડની મોટી ઈનામી રકમની જાહેરાત કરી હતી. આ રકમ ફક્ત ખેલાડીઓમાં જ નહીં પરંતુ કોચિંગ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફમાં પણ વહેંચવામાં આવી હતી. પસંદગી સમિતિને પણ આ ઈનામનો હિસ્સો મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. BCCI એ તે ખિતાબ જીતવા બદલ ₹58 કરોડના રોકડ ઈનામની જાહેરાત કરી હતી. તે સમયે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2007 પછી પહેલીવાર T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.

Share This Article