Tuesday, Mar 17, 2026

ઊંઝા–મહેસાણા રોડ અકસ્માત: અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

1 Min Read

ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે, ત્યારે આજે વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં એક જ પરિવારના 4 સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મૃતકોના નામ:

  • રામલાલ લખાજી કુમાવત
  • કોમલ મદનલાલ કુમાવત
  • કૈલાશભાઈ રામલાલ કુમાવત
  • એક માસૂમ બાળક

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Share This Article