HomeGujaratનવા લેબર કોડના વિરોધમાં ‘ભારત બંધ’ની હાકલ, ગુજરાતમાં ₹15,000 કરોડના વેપાર પર...

નવા લેબર કોડના વિરોધમાં ‘ભારત બંધ’ની હાકલ, ગુજરાતમાં ₹15,000 કરોડના વેપાર પર અસરની આશંકા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા નવા લેબર કોડના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોએ મોરચો માંડ્યો છે. આ કાયદાઓને ‘મજૂર વિરોધી’ ગણાવીને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેની વ્યાપક અસર ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે.

ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાશે

નિષ્ણાતો અને વેપારી સંગઠનોના અંદાજ મુજબ, આ હડતાલને કારણે ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો પ્રભાવિત થઈ શકે છે.બેન્કિંગ અને પરિવહન સેવાઓને અસરઆ હડતાલમાં બેંકિંગ યુનિયનો પણ જોડાયા હોવાથી ચેક ક્લિયરન્સ અને અન્ય બેંકિંગ કામગીરી ખોરવાઈ છે. આ ઉપરાંત, ટેક્સટાઈલ માર્કેટ, હીરા ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરના કર્મચારીઓ પણ વિરોધમાં હોવાથી માલસામાનની હેરફેર પર માઠી અસર પડી છે.

ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા યુનિયનો આ બંધમાં જોડાયા હોવાથી બજારમાં મોટી નાણાકીય લેવડ-દેવડ અટકી જવાની શક્યતા છે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ?

ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે નવા લેબર કોડમાં કામદારોના અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો છે. તેમની મુખ્ય માગણીઓ નીચે મુજબ છે:

  • નવા ચાર લેબર કોડ તાત્કાલિક રદ કરવામાં આવે.ખાનગીકરણની પ્રક્રિયા રોકવામાં આવે.
  • મોંઘવારી પર અંકુશ મેળવવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે.
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી કાયમી રોજગારી આપવામાં આવે.

અમદાવાદના મજૂર સંગઠનોનું કહેવું છે કે સરકાર જો તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. અત્યારે તો આ બંધને કારણે વેપારીઓ અને સામાન્ય જનતાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Subscribe

Latest stories