ઘોર કળિયુગ આવ્યો હોય એમ હવે મંદિરમાં મહાદેવ પણ સુરક્ષિત નથી ! ગણદેવી તાલુકાના ઉંડાચ ગામના મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે. મંદિરમાં દાનપેટીમાંથી ચોરી થાય કે ભગવાને ધારણ કરેલા આભુષણો કોઈ ચોરી જાય એવું તમે સાંભળ્યું હશે, પરંતુ ભગવાનને જ કોઈ ચોરી જાય એવું સાંભળ્યું છે ખરું? હા, ભગવાનની મૂર્તિ ચાંદી કે સોનાની હોય તો કોઈ ચોરી જાય, પણ શિવલિંગ તો કોઈ ચોરી જાય એવું બને જ નહીં. પરંતુ એવી આશ્ચર્યજનક ઘટના બીલીમોરા પાસેના ગામમાં નોંધાઈ છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયા ગામેઆવેલા પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાના વૃક્ષ પાસેનું શિવલિંગ કોઈ શખ્શ કારમાં આવીને ચોરી ગયો હતો.
