Friday, Dec 19, 2025

ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, ખેડૂતો માટે સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ

2 Min Read

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને પગલે થયેલા પાકોના નુકસાન માટે સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં બાગાયત તથા કૃષિ પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જુનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટરા જિલ્લામાં અચાનક વરસેલા વરસાદએ ખેડૂતોને મુશકેલીમાં મૂકી દીધા છે.

ત્યારે હવે સરકારે આ ખેડૂતોની મદદ માટે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રાહત પેકેજ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ તેઓને મળકો જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય.

  • બિનપિયત પાક માટે સહાય : રૂ. 12,000 પ્રતિ હેક્ટર
  • પિયત પાક માટે સહાય : 3.22,000 પ્રતિ હેક્ટર
  • લાયક ખેડૂતો: જેઓના પાકને 33% થી વધુ નુક્સાન થયું છે
  • અસરગ્રસ્ત વિસ્તાર : જુનાગઢ, વાવ, થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ
  • રજીસ્ટ્રેશન સમયમર્યાદા 15 દિવસ

પોર્ટલ રાજ્ય સરકારનું કૃષિ પોર્ટલ
મહત્વની વાત એ છે કે, જ્યાં ભારે વરસાદના કારવો રવિ પાકનું વાવેતર શક્ય ન બન્યું હોય, તેવા ખેડૂતોનો પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભ માટેનું રજીસ્ટ્રેશન 11 નવેમ્બરથી શરૂ થયું છે. ખેડૂતોને પોતાના ગામના વી.એસ.સી (Village Service Centre) અથવા વિલેજ કોમન સર્વિસ સેન્ટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સમયસર રજીસ્ટ્રેશન કરીને સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે.

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પગલા ભરી લોકોને ખુરશ કરી દીધા છે. અતિભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને આ રાહત પેકેજથી મોટી મદદ મળશે અને તેઓ ફરીથી ખેતીમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકશે. આ પેકેજર્થી કેટલા ખેડૂતોને લામ મળશે અને કેટલી જમીન આ સહાય હેઠળ આવરી લેવામાં આવશે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

Share This Article