HomeGujaratબોટાદ હડદડ પથ્થરમારી ઘટનામાં 20 ધરપકડ, પરિસ્થિતિની સમીક્ષા માટે રેન્જ IG સ્થળે...

બોટાદ હડદડ પથ્થરમારી ઘટનામાં 20 ધરપકડ, પરિસ્થિતિની સમીક્ષા માટે રેન્જ IG સ્થળે પહોંચ્યા

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કદડાને લઈને મામલો ગરમાયો છે, અને મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા થનારુ હતું. જેને પગલે બોટાદના હડદડ ગામે મહાપંચાયતનું આયોજન હોય પોલીસ ગેરકાયદેસર જણાવીને રોકવા ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો અને ગાડી ઊંધી વાળી દીધી હતી. પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા. 20 લોકોની પોલીસે અટકાયત કરી છે જો કે રસ્તામાંથી ઈશુદાન ગઢવીની બગોદરા નજીકથી અટકાયત પણ કરી લેવાઈ હતી.આ બનાવ થી રાજકારણ ગરમાયું છે.

મળતી માહિતી મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના કપાસની ખરીદી યાર્ડમાં કર્યા બાદ જિનિંગ મિલમાં લઈ ગયા પછી વેપારીઓ દ્વારા ભાવ ઓછા કરી નાખવામાં આવતા હોવાને મામલો ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કદડાના નિયમને લઈને રાજકારણ પ્રવેશી ગયું છે. જેને લઇને એક મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જો કે આ પંચાયતનું આયોજન બોટાદના હડદડ ગામે કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. જેથી પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. જો કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ આ મામલે ખેડૂતોની સમક્ષ હાજર રહેવાના હોય ત્યારે તેની પણ અટકાયત બગોદરા નજીક થઈ ગઈ હતી.

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો કપાસ ખરીદી કર્યા બાદ વેપારીઓ દ્વારા જીનીંગ મીલમાં લઈ જઈને કોઈ બહાના હેઠળ ભાવ ઓછા કરી નાખે છે, એટલે કે જે કદડો પ્રથા ચાલી આવતી હતી તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈશુદાન ગઢવી પણ આ મામલે પોતાનું નિવેદન આપી ચૂકયા છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી એક મહાપંચાયતનું આયોજન કરાયું હોય જેને લઈને બોટાદ જિલ્લાના હડદડ ગામે મહાપંચાયત યોજનાર હતી.

મહાપંચાયતને લઈને કોઈ મંજૂરી ન હોવાને કારણે હડદડ ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી ગયો હતો, ત્યારે બોટાદના ડીએસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આજરોજ હડદડ ગામમાં ગેરકાયદેસર મહાપંચાયતનું આયોજન કર્યું હતું. તેથી પોલીસ ડીટેન કરવા માટે આવી હતી ત્યારે ગેરકાયદેસર લોકોએ મંડળી બનાવીને મહાપંચાયતનું આયોજન કર્યું હોય જેને ડીટેઇન કરવા આવતા કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસની ગાડીને પણ ઊંધી વાળી દેવામાં આવી હતી.

Subscribe

Latest stories