HomeNationalપ્રશાંત કિશોરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ...

પ્રશાંત કિશોરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ ભોજપુરી ગાયક, કિન્નરને ટિકિટ આપી

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

બિહાર ચૂંટણી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, પહેલા તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થશે, એ પહેલા ચૂંટણીમાં ભાગ લઇ રહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોનાં નામ નક્કી કરવા કવાયત કરી રહ્યા છે. એવામાં પ્રશાંત કિશોરની રાજકીય પાર્ટી જન સૂરજ પક્ષે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

અગાઉ ચર્ચા હતી કે રોહતાસ જિલ્લાની કરગહર વિધાનસભા બેઠકપર પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે, પણ ઉમેદવારની પહેલી યાદીમાં જન સૂરજએ કરગહર બેઠક પરથી ભોજપુરી ગાયક રિતેશ પાંડેને ટીકીટ આપી છે.

થર્ડ જેન્ડરના ઉમેદવારને તક:
જન સૂરજ પક્ષે ગોપાલગંજ જિલાની ભોરે વિધાનસભા બેઠક પર થર્ડ જેન્ડરના ઉમેદવારને તક આવામાં આવી છે, આ બેઠક પર પ્રીતિ કિન્નર પક્ષના ઉમેદવાર રહેશે. દરભંગા સદર બેઠક પરથી આરકે મિશ્રા, સહરસા શહેરથી કિશોર મુન્ના, છાપરા શહેરથી ભૂતપૂર્વ એડીજી જેપી સિંહ અને ઇમામગંજથી અજિત રામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જન સૂરજ પક્ષે કુમ્હાર બેઠક પરથી કેસી સિંહા અને શેરઘાટી બેઠક પરથી પવન કિશોરને ટીકીટ આપી છે. સારણ જિલ્લાની માંઝી બેઠક પર વાયવી ગિરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

પ્રશાંત કિશોર ક્યાંથી ચૂંટણી લડશે?
જન સૂરજ પક્ષની પહેલી યાદીમાં પ્રશાંત કિશોરનું નામ સામેલ નથી. પ્રશાંત કિશોરે અગાઉ કહ્યું હતું કે તેઓ તેમન જન્મસ્થળ કરગહર અથવા તેમના કર્મસ્થળ રાઘોપુરથી જ ચૂંટણી લડશે. પેહલી યાદીમાં કરગહરથી રિતેશને ટીકીટ આપવામાં આવી છે, હવે પ્રશાંત કિશોર રાઘોપુરથી ચૂંટણી લડે એવી શક્યતા છે. જો કે એ અગાળની યાદીમાં જાહેર કરવામાં આવશે.

Subscribe

Latest stories

spot_img