HomeNationalસરકારને મોટું નુકસાન – જનતાને મોટો ફાયદો: ઈન્શ્યોરન્સ પર નહીં લાગશે  GST

સરકારને મોટું નુકસાન – જનતાને મોટો ફાયદો: ઈન્શ્યોરન્સ પર નહીં લાગશે  GST

Date:

Related stories

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...

‘કાયદો લાગુ છે તો લાભ કેમ નહીં?’ સુરતમાં વિવિધ ક્ષેત્રના 400 કારીગરોનું કલેકટરાલયે વિરોધ પ્રદર્શન

સુરત શહેરમાં એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો...

પુતિનના મળમૂત્ર પણ રશિયા લઈ જવાશે ! જાણો આટલી વિચિત્ર વ્યવસ્થા પાછળનું કારણ શું છે ?

પુતિનના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના બોડીગાર્ડ્સ તેમના મળ અને...
spot_img

દેશની GST કાઉન્સિલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં નહીં આવે. આ નિર્ણયથી સામાન્ય જનતાને સીધો લાભ મળશે કારણ કે ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં આશરે 15% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગ માટે આ રાહતનો નિર્ણય જીવનરક્ષક સાબિત થઈ શકે છે. આરોગ્ય ઈન્શ્યોરન્સ વધુ સસ્તું થતા લોકો હવે વધારે પ્રમાણમાં ઈન્શ્યોરન્સ પોલિસી લેશે, જે આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવશે.

પરંતુ આ નિર્ણયનો એક મોટો ગેરલાભ પણ છે. સરકારને દર વર્ષે આશરે ₹1.2 થી ₹1.4 લાખ કરોડ જેટલું આવકમાં નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી ઈન્શ્યોરન્સ પર વસુલાતી GST સરકાર માટે આવકનું મોટું સ્ત્રોત હતું, જે હવે બંધ થઈ જશે. આથી સરકારને અન્ય સ્ત્રોતોમાંથી આવક મેળવવી પડશે અથવા ખર્ચમાં કાપ મૂકવો પડશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ પગલું લોકો માટે મોટી રાહતરૂપ છે અને ઈન્શ્યોરન્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. લાંબા ગાળે લોકોમાં ઈન્શ્યોરન્સની જાગૃતિ વધશે, આરોગ્ય સેવાઓ વધુ સસ્તી બનશે અને સામાજિક સુરક્ષા મજબૂત થશે. જોકે સરકાર માટે આ નાણાકીય પડકારરૂપ રહેશે અને તેને પૂરક આવકના નવા રસ્તાઓ શોધવા પડશે.

Subscribe

Latest stories

spot_img