HomeNationalપંજાબમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરમાં 30 લોકોના મોત, 3 લાખથી વધુ...

પંજાબમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરમાં 30 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો પ્રભાવિત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે ઠેર ઠેર ભાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે પંજાબ હાલ 1988 પછીનુ સૌથી વિનાશકારી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે રાજ્યની મુખ્ય નદીઓ જેમ કે સતલુજ, બ્યાસ અને રાવી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. જેના કારણે રાજ્યમાં મોટા પાયે વિનાશ વેરાયો છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અહેવાલો પ્રમાણે આ પૂરની સ્થિતિ અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 1,655 ગામો પાણીમાં ડૂબી ગયા છે. ખેતરોમાં ઊભા 1.48 લાખ હેક્ટરથી વધુ પાકનો વિનાશ થયો છે, તેમજ પશુઓનું પણ મોટું નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે, જ્યાં પાણીની ઊંડાઈ 8થી 10 ફૂટ સુધી પહોંચી છે, અને ગ્રામજનો નાવડીઓની મદદથી આવન-જાવન કરવા મજબૂર બન્યા છે.

ગુરદાસપુર, પઠાનકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. વહીવટી તંત્રે અનેક રાહત શિબિરો સ્થાપિત કર્યા છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેમના ઘર અને પશુઓની નજીક છત કે ઊંચા મંચ પર રહીને સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નુકસાનના મૂલ્યાંકન માટે વિશેષ ગિરદાવરી શરૂ કરી છે. તેમણે પ્રભાવિત પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું છે અને કહ્યું કે, “જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પંજાબ હંમેશા સાથે ઊભું રહ્યું છે, હવે દેશે પંજાબની મદદ કરવી જોઈએ.” આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જ્યારે અન્ય નેતાઓ પણ રાહત કાર્યોમાં જોડાયા છે.

Subscribe

Latest stories

spot_img