HomeInternationalભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ભારતના ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ભારત માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતીય અધિકારીઓને માહિતી આપી છે કે ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ 2025 ના રોજ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલ પ્રત્યાર્પણ વિનંતીના આધારે કરવામાં આવી છે.

નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ
નેહલ મોદી પર આરોપ છે કે પીએનબી કૌભાંડમાં તેણે પોતાના ભાઈ નીરવ મોદીની મદદથી કૌભાંડમાં કમાયેલા હજારો કરોડ બ્લેક મનીને વ્હાઈટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. નેહલ મોદીએ કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી છુપાવવામાં અને તેને શેલ કંપનીઓ અને વિદેશી વ્યવહારો દ્વારા વ્હાઈટ કરવામાં નીરવ મોદીને મદદ કરી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કરવામાં આવી ધરપકડ
અમેરિકી ન્યાય વિભાગે પુષ્ટિ કરી છે કે નેહલ મોદીની ધરપકડ ભારત સરકારના આગ્રહ પર કરવામાં આવી છે. નેહલ મોદી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો આરોપ છે એટલે કે તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને વિવિધ માધ્યમો દ્વારા કાયદેસર બતાવવાનો પ્રયાસ કર્યો. આથી ભારતીય દંડ સંહિતાની કલમ 120-B અને 201 હેઠળ ગુનાહિત કાવતરું અને પુરાવાઓનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ભારતની તપાસ એજન્સીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું
નીરવ મોદી પોતે હાલમાં બ્રિટનમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. નેહલ મોદીના પ્રત્યાર્પણ કેસની આગામી સુનાવણી 17 જુલાઈ, 2025 ના રોજ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટેટસ રિવ્યૂ થશે. આ સુનાવણી દરમિયાન નેહલ મોદી જામીન માટે પણ અરજી કરી શકે છે. આ ધરપકડ ભારતની તપાસ એજન્સીઓ માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Subscribe

Latest stories

spot_img