HomeSurat Cityસુરત : માંગરોળમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક, બે કામદારોની દુઃખદ મોત

સુરત : માંગરોળમાં કેમિકલ કંપનીમાં ગેસ લીક, બે કામદારોની દુઃખદ મોત

Date:

Related stories

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ...

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી...

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા...

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં...

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...
spot_img

સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન બે કામદારોને ગેસ લાગવાથી તેમના મોત નિપજ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કામદારો રાજન શર્મા અને રાજન સિંગ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં બંને કામદારોને ગેસની અસર થઈ હતી. બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.

કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ મૃત થયેલા કામદારો 2 વર્ષથી કામ કરતા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા. આ કંપનીમાં જતું નાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા. જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા.

ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પી.આઈ. ડી.એલ. ખાચર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.

સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન બે કામદારોને ગેસ લાગવાથી તેમના મોત નિપજ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, કામદારો રાજન શર્મા અને રાજન સિંગ ટાંકી સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં બંને કામદારોને ગેસની અસર થઈ હતી. બંને કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.

કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ મૃત થયેલા કામદારો 2 વર્ષથી કામ કરતા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તેઓ કામકાજ માટે અપડાઉન કરતા હતા. આ કંપનીમાં જતું નાશક દવાઓ બનાવવા ઉપયોગી કેમિકલ બનાવતા હતા. જેને લોકલ માર્કેટમાં વેચાણ કરતા હતા.

ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના પરિવારજનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોસંબા પોલીસ પી.આઈ. ડી.એલ. ખાચર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.

Subscribe

Latest stories

spot_img