HomePoliticsભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ઢીંડસાનું 89 વર્ષની વયે નિધન

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ઢીંડસાનું 89 વર્ષની વયે નિધન

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળ (Taksal) ના વરિષ્ઠ નેતા સુખદેવસિંહ ઢીંડસાનું નિધન થયું છે, જેના કારણે રાજકીય જગતમાં શોકનું વાતાવરણ છે. તેમણે 89 વર્ષની વયે મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

સુખદેવસિંહ ઢીંડસા પહેલા શિરોમણી અકાલી દળમાં હતા. તેઓ લાંબા સમય સુધી અકાલી દળના સંરક્ષક હતા. ઢીંડસાએ શિરોમણી અકાલી દળ (ટકસાલી)ની રચના કરી અને બાદમાં ફરીથી તેમના પક્ષને શિરોમણી અકાલી દળમાં ભેળવી દીધો.

સુખદેવસિંહ ઢીંડસાનો રાજકીય પ્રવાસ

  • 1936માં પંજાબના સંગરૂર જિલ્લાના ઉભાવાલ ગામમાં જન્મેલા ઢીંડસાએ તેમના રાજકીય જીવનની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી.
  • તેઓ ચાર વખત પંજાબ વિધાનસભાના સભ્ય, રાજ્યસભાના સભ્ય અને લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.
  • વાજપેયી સરકારમાં તેઓ કેન્દ્રીય રાસાયણિક અને ખાતર મંત્રી તરીકે સેવા આપી હતી .

રાજકીય જીવનમાં ઉતાર-ચઢાવ

  • 2019માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 2020માં તેઓ અને તેમના પુત્ર પરમિંદરસિંહ ઢીંડસાને શિરોમણિ અકાલી દળમાંથી બહાર કરી દેવાયા હતા, ત્યારબાદ તેમણે એસએડી (સંયુક્ત)ની સ્થાપના કરી.
  • 2022માં ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ સફળતા મળી ન હતી.
  • 2024માં તેમણે ફરીથી એસએડીમાં જોડાયા, પરંતુ ઓગસ્ટમાં ફરીથી પાર્ટીમાંથી બહાર કરી દેવાયા .

સુખબીર સિંહ બાદલે X પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો
એસએડીના વડા સુખબીરસિંહ બાદલે X પર પોસ્ટ કરીને સુખદેવસિંહ ઢીંડસાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સરદાર સુખદેવસિંહ ઢીંડસા સાહેબના નિધનથી મન ખૂબ જ દુઃખી છે. ઢીંડસા સાહેબે શિરોમણી અકાલી દળમાં લાંબા સમય સુધી પંજાબ અને દેશની સેવા કરી જે હંમેશા યાદ રહેશે. હું વ્યક્તિગત રીતે અને શિરોમણી અકાલી દળ વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Subscribe

Latest stories