અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ના ટીઝર રિલીઝ પછી હવે ફાઈનલી ટ્રેલર પણ આજે એટલે 3 એપ્રિલ, 2025એ મેકર્ઝએ રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેતા આર માધવન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. કેસરી ચેપ્ટર 2 ફિલ્મ 13 એપ્રિલ, 1919 ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી શરૂ થયેલી કાનૂની લડાઈ પર આધારિત છે. અક્ષય કુમાર વકીલ શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જેમણે અમૃતસરમાં “નરસંહાર” કરવા બદલ બ્રિટિશ સામ્રાજ્ય પર દાવો માંડ્યો હતો. આ હત્યાકાંડમાં ઓછામાં ઓછા 1,650 લોકો માર્યા ગયા હતા.
‘કેસરી ચેપ્ટર 2’ ના ટ્રેલરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનું સત્ય દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરની શરુઆતમાં અક્ષય કુમાર કોર્ટ રૂમમાં ઉભા થઈને બ્રિટીશ અધિકારી જનરલ ડાયરને સવાલ પુછતાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય વકીલ સી.એન.નાયરનું કેરેકટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે. અક્ષય પૂછે છે કે, ‘ભીડને હટાવવા માટે વોર્નિંગ તમે કઈ રીતે આપી હતી, શું તમે ટીયર ગેસ ફેક્યો હતો કે હવામાં ગોળીયો ચલાવી હતી ?’ આ વાતના જવાબમાં ડાયર ના પાડે છે. ત્યારબાદ અક્ષયે કહ્યું, ‘તો શું તમે કોઈ પણ વોર્નિંગ વગર ભીડપર ગોળીયો ચલાવી હતી.’
આના જવાબમાં ડાયરે કહ્યું કે, ‘એ ભીડ થોડી હતી એ તો ટેરરિસ્ટ હતા.’ ત્યાં જ આર માધવન ઓપોઝીશનના વકીલના રૂપમાં દેખાઈ રહ્યા છે અને અનન્યા એવી મહિલાઓમાંથી છે જેણે તે વખતે લો ભણતી હોય. આ ટ્રેલરમાં એ હત્યાકાંડનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે, જેને જોઇને દરેક માણસ ધ્રુજી ઉઠશે. હવે જોવાનું એ રહેશે કે અક્ષય કેસ જીતશે કે નહિ એ તો ફિલ્મ રિલીઝ થશે પછી જ ખબર પડશે.
અક્ષય કુમાર વકીલના પાત્રમાં હત્યાકાંડના ગુનેગાર જનરલ ડાયરને પ્રશ્ન કરે છે, જે ખોટો દાવો કરે છે કે જલિયાંવાલા બાગની અંદર ભીડ આતંકવાદીઓની હતી. ‘આઠ મહિનાના બાળકોના હાથમાં તમે કયા હથિયારો જોયા? તેમના કડા? કે તેમની મુઠ્ઠીઓ?’ શંકરન નાયર જાણવા માંગે છે, કારણ કે તેનો સામનો બ્રિટિશ સામ્રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા આર માધવનના નેવિલ મેકકિનલી સામે થાય છે. અનન્યા પાંડે પણ ફિલ્મમાં વકીલ તરીકે દેખાય છે.
હત્યાકાંડ પછીના વર્ષોમાં, બ્રિટિશ સરકાર પાસેથી માફીની માંગણીઓ કરવામાં આવી રહી છે. 2019 માં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેએ હત્યાકાંડ માટે દિલગીરી વ્યક્ત કરી હતી પરંતુ તેના માટે માફી માંગી ન હતી. અગાઉ 2021 માં શૂજિત સરકાર દ્વારા દિગ્દર્શિત અને વિકી કૌશલ અભિનીત ફિલ્મ સરદાર ઉધમ પણ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર આધારિત હતી. આ પ્રશંસનીય ફિલ્મ ઉધમ સિંહ દ્વારા 1919 માં પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ ડાયરની હત્યાના પ્રયાસ પછી બની હતી.