HomeNationalઝાંસીથી પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર કરાયો પથ્થરમારો

ઝાંસીથી પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર કરાયો પથ્થરમારો

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

મધ્યપ્રદેશના છત્તરપુર રેલવે સ્ટેશન પર હંગામો થયો. મહાકુંભ જનારી ટ્રેન પર પથ્થર મારો કરાયો. ટ્રેનના તમામ બારી-બારણાં બંધ હોવાથી નારાજ થયેલા મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે, વિવિધ સ્થળોએથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો. જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાંથી લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા નહીં, ત્યારે તેઓએ દરવાજા અને બારીઓ તોડી નાખી.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. છતરપુર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વાલ્મિક ચૌબેએ જણાવ્યું હતું કે, છતરપુર રેલ્વે સ્ટેશન પર ફાટક ન ખોલવાને કારણે રાત્રે લગભગ 1 વાગ્યે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img