Friday, May 15, 2026

ઝાંસીથી પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર કરાયો પથ્થરમારો

2 Min Read

મધ્યપ્રદેશના છત્તરપુર રેલવે સ્ટેશન પર હંગામો થયો. મહાકુંભ જનારી ટ્રેન પર પથ્થર મારો કરાયો. ટ્રેનના તમામ બારી-બારણાં બંધ હોવાથી નારાજ થયેલા મુસાફરોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે, વિવિધ સ્થળોએથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. અહીં ટોળાએ અચાનક ટ્રેન પર હુમલો કર્યો. જેના કારણે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા. હુમલાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડમાંથી લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા નહીં, ત્યારે તેઓએ દરવાજા અને બારીઓ તોડી નાખી.

આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રેલવે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ઘણી ટ્રેનો મોડી પડી હતી. છતરપુર સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વાલ્મિક ચૌબેએ જણાવ્યું હતું કે, છતરપુર રેલ્વે સ્ટેશન પર ફાટક ન ખોલવાને કારણે રાત્રે લગભગ 1 વાગ્યે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરી.

આ પણ વાંચો :-

Share This Article