HomeNationalતિરુપતિ મંદિરમાં પ્રસાદ કાઉન્ટર પાસે લાગી ભયંકર આગ

તિરુપતિ મંદિરમાં પ્રસાદ કાઉન્ટર પાસે લાગી ભયંકર આગ

Date:

Related stories

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
spot_img

તિરુપતિ મંદિરમાં થોડા જ દિવસોમાં ફરી એક દુર્ઘટના ઘટી છે. સોમવારે તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્ મંદિરમાં લાડુ વિતરણ કેન્દ્ર પાસે આગ લાગી હતી. કાઉન્ટર પાસે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન ઓચિંતા આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલમાં વહીવટીતંત્ર આગ ઓલવવામાં વ્યસ્ત છે. ફાયર બ્રિગેડની મદદથી આગને ઝડપથી કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના 10 દિવસીય વૈકુંઠ દ્વાર દર્શનમ ઉત્સવ દરમિયાન બની હતી. આ પ્રસંગે દેશભરમાંથી હજારો લોકો ત્યાં પહોંચ્યા છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે 8 જાન્યુઆરીએ થયેલા અકસ્માતને કારણે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૮ જાન્યુઆરીના રોજ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના અવસાન થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગની ઘટના તિરુપતિમાં એમજીએમ સ્કૂલ પાસે આવેલા બૈરાગી પટ્ટેડા પાસે બની હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img