આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી આયોજિત કરવામાં આવ્યો છે. યુપી સરકારને આશા છે કે દર 12 વર્ષે યોજાતા આ મહાકુંભમેળામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવશે.
કુંભ મેળો એ ભારતનો સૌથી મોટો ધાર્મિક અને પ્રાચીન પ્રસંગ છે, દર વર્ષે કરોડો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજ (અલાહાબાદ) આવે છે. જો તમે સમગ્ર ગુજરાતથી કુંભ મેળામાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ટ્રેનની મુસાફરી તમારા માટે સૌથી યોગ્ય રહેશે. લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન શ્રેષ્ઠ છે.
ગુજરાતનાં ઘણાં શહેરોથી પ્રયાગરાજ જવા માટે ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. જો તમે ટ્રેન મારફતે મહાકુંભમેળામાં જવા માગતા હો તો તમારા માટે આ પ્રયાગરાજ જતી આ ટ્રેનોનું ટાઇમટેબલ જાણવું જરૂરી છે.
ટ્રેનોનું ટાઇમટેબલ
- અમદાવાદ-પટના એક્સપ્રેસ- રવિવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-રવિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- રવિવારે મધરાત્રે 12.35 કલાકે
- બનારસ એક્સપ્રેસ- સોમવારે બપોરે 1.45 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ સોમવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- સોમવારે મધરાત્રે 12.35 કલાકે
- પારસનાથ એક્સપ્રેસ- મંગળવારે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-મંગળવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- મંગળવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ-બુધવારે સવારે 9.10 કલાકે
- અઝિમાબાદ એક્સપ્રેસ બુધવારે રાત્રે 9.50 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- બુધવારે મધરાત્રે 12.35 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- ગુરુવારે સવારે 9.10 કલાકે
- ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ-ગુરુવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ- ગુરુવારે બપોરે 4.35 કલાકે
- અમદાવાદ-જંઘઈ સ્પેશિયલ ટ્રેન- ગુરુવારે રાત્રે 9.15 કલાકે
- અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ ટ્રેન- ગુરુવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન- શુક્રવારે મધરાત્રે 12.10 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શુક્રવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શુક્રવારે મધરાત્રે 12.35 કલાકે
- ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ- શનિવારે રાત્રે 11.15 કલાકે
- અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ- શનિવારે સવારે 9.10 કલાકે
- અમદાવાદ-બરૌની એક્સપ્રેસ- શનિવારે મધરાત્રે 12.35 કલાકે
- તાપી-ગંગા એક્સપ્રેસ (મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- સુરત-છાપરા સ્પેશિયલ ટ્રેન(સોમવારે સવારે 8.35 કલાકે ઉધનાથી ઊપડે છે)
- બાન્દ્રા ગાઝીપુર સિટી એક્સપ્રેસ(સોમવારે અને શનિવારે સવારે 3.00 કલાકે સુરતથી ઊપડે છે)
- બાન્દ્રાથી ગોરખપુર એક્સપ્રેસ(સોમવારે સવારે 8.35 કલાકે સુરત ખાતેથી ઊપડે છે)
- સુરત-ભાગલપુર એક્સપ્રેસ(મંગળવાર અને શનિવારે સવારે 10.21 કલાકે ઉધનાથી ઊપડે છે)
- કેવડિયા કૉલોની-વારાણસી એક્સપ્રેસ(મંગળવારે રાત્રે 22.42 વાગ્યે સુરતથી)
- ઉધનાથી બનારસ સુપરફાસ્ટ(મંગળવારે સવારે 7.25 કલાકે)
- સાબરમતી-બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 11.00 કલાકે ( 16 જાન્યુઆરી, 5,9,14 અને 18 ફેબ્રુઆરી, 2025ના રોજ રવાના થશે)
- સાબરમતી વાયા ગાંધીનગરથી બનારસ સ્પેશિયલ ટ્રેન- સવારે 10.25 કલાકે (19,23 અને 26 જાન્યુઆરીના રોજ)
- ઉધના-બલિયા મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 6.40 કલાકે(17 જાન્યુઆરી અને 16 ફેબ્રુઆરી)
- વલસાડ-દાનાપુર મહાકુંભમેળા સ્પેશિયલ સવારે 8.40 કલાકે (8,17,21,25 જાન્યુઆરી, 8,15,19 અને 26 ફેબ્રુઆરી)
- વાપી-ગયા સ્પેશિયલ, સવારે 8.20 કલાકે (9,16,18,20,22,24 જાન્યુઆરી અને 7,14,18,22 ફેબ્રુઆરી)
- વિશ્વામિત્રી-બલિયા સ્પેશિયલ સવારે 8.35 કલાકે (17 ફેબ્રુઆરી)
- ભાવનગર-બનારસ સ્પેશિયલ સવારે પાંચ વાગ્યે (22 જાન્યુઆરી, 16 અને 20 ફેબ્રુઆરી)
આ પણ વાંચો :-