છત્તીસગઢના બીજાપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મોટો નક્સલી હુમલો થયો છે. પહેલા નક્સલવાદીઓએ ઓચિંતો હુમલો કરીને સુરક્ષા દળોની વાનને નિશાન બનાવી. તેઓએ પિકઅપ વાનને IED વડે બ્લાસ્ટ કર્યો, જેના કારણે ડ્રાઈવર સહિત 9 જવાનો શહીદ થયા. સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. બપોરે 2.15 વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધુ હતું.
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ ઠાર થયા હતાં. તેમના શબ જપ્ત કરવામાં આવ્યા હતાં. આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-47 અને SLR સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં.
આ પણ વાંચો :-