HomeNationalમેરઠમાં શિવ મહાપુરાણની કથામાં ભીડ બેકાબૂ, અનેક મહિલાઓ કચડાઈ

મેરઠમાં શિવ મહાપુરાણની કથામાં ભીડ બેકાબૂ, અનેક મહિલાઓ કચડાઈ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

મેરઠમાં શુક્રવારે બપોરે પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણની કથામાં ભાગદોડ મચી ગઈ હતી. અનેક મહિલાઓ-વૃદ્ધો ભાગદોડમાં નીચે પડ્યા અને દટાયા હતા. આજે કથાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. કથાનો પ્રારંભ બપોરે 1 વાગે થયો હતો.

લગભગ 1 લાખ લોકો કથા સાંભળવા માટે પહોંચ્યા હતા. કથા શરૂ થઈ ત્યારે લોકો ઉતાવળમાં અંદર જઈ રહ્યા હતા. ભીડ અચાનક વધી જતાં બાઉન્સરોએ લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા અને પછી દોડાદોડી થઈ હતી. શતાબ્દી નગરમાં ચાલી રહેલી આ કથામાં દરરોજ લગભગ 1.5 લાખ લોકો આવી રહ્યા છે. કથા દરમિયાન અનેક VVIP પણ મેરઠ પહોંચી રહ્યા છે.

એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાએ કહ્યું- શિવ મહાપુરાણ કથામાં ભક્તોની ભીડને કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. 15 થી 21 ડિસેમ્બર સુધી શોપ્રિક્સ મોલથી પરતાપુર ઇન્ટરચેન્જ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે જે પંડિત પ્રદીપ મિશ્રાની આજે કથા હતી, તેઓ અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે. અગાઉ મધ્ય પ્રદેશના સિહોરમાં પણ પ્રદીપ મિશ્રા કથામાં રુદ્રાક્ષ મહોત્સવ દરમિયાન ભારે ભીડના કારણે નાસભાગ થઈ હતી જેમાં એક મહિલાનું નિધન થયું હતું જ્યારે બે હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. એવી અફવા વાંરવાર ફેલાવવામાં આવે છે કે પ્રદીપ મિશ્રા જે રુદ્રાક્ષ આપે છે તેનાથી બીમારી દૂર થઈ જાય છે અને ધનવાન થવાય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories