Wednesday, Nov 5, 2025

સુરતના ઉધનામાં ફાયરિંગ કરનાર કુખ્યાતોનું પોલીસે કાઢ્યું સરઘસ

1 Min Read

સુરતના ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપી ગુરુમુખ ચીકલીઘર, શુભમ ઉર્ફે માફિયાનો વરઘોડો નીકળ્યો હતો. ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી. ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો. સ્થળ પર લાવી પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યુ. અગાવ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરૂ અને શુભમ ઉર્ફે માફિયા જેઓ નેપાળ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓને ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી ગુરમુખ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ તેની સામે 2020માં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ થયેલ છે.તો શુભમ ઉર્ફે માફિયા સામે 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 302 હેઠળ ગુનો નોંધાયેલ છે.

થોડા સમયે સુરતનાં ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગરમાં ભાજપનાં સક્રિય કાર્યકર દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાજપના સક્રિય કાર્યકર ઉમેશ તિવારીની પોલીસે અટકાયત કરી હતી. ઉમેશ તિવારીનું રિવોલ્વર લાયસન્સ પોલીસ તરફથી રદ કરવામાં આવશે. તેમજ અગાઉ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે બાબતે હાથ ધરાશે તપાસ તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article