HomeNationalસંભલમાં પ્રાચીન કૂવાનું ખોદકામ દરમિયાન મળ્યું પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિ

સંભલમાં પ્રાચીન કૂવાનું ખોદકામ દરમિયાન મળ્યું પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિ

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ઉત્તર પ્રદેશના સંભલમાં તાજેતરમાં જ 46 વર્ષથી બંધ જૂના શિવ મંદિરને વહીવટીતંત્રએ ખોલાવ્યું હતું. આ મંદિરમાં પ્રાચીન શિવલિંગની સાથે એક હનુમાનજીની મૂર્તિ અને કૂવો પણ મળી આવ્યો હતો. હવે વહીવટીતંત્રને કૂવાનું ખોદકામ કરતા 3 મૂર્તિઓ મળી આવી છે. હવે વહીવટીતંત્રને કૂવો ખોદતી વખતે 3 મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની છે. આ મંદિર 1978થી બંધ હતું. વહીવટી તંત્રે આ મંદિરને સાફ કરાવ્યું અને 15 ડિસેમ્બરે આ મંદિરમાં ધાર્મિક વિધિ અને મંત્રોના જાપ સાથે પૂજા આરતી કરવામાં આવી.

ડેપ્યુટી એસપી અનુજ ચૌધરીએ જણાવ્યું કે, મંદિરમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવી છે. હાલમાં કૂવાનું ખોદવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂવો ઢાંકી દેવામાં આવ્યો છે. ખોદકામ દરમિયાન માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયજીની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓની કાર્બન ડેટિંગ કરાવવામાં આવશે. એક મૂર્તિ આરસની છે જે કાર્તિકેયજીની લાગી રહી છે. 2 મૂર્તિઓ ખંડિત છે.

સંભલનું આ મંદિર પ્રાચિન અને 400 વર્ષ જૂનું છે, જે કાર્તિક શંકર મંદિર કહેવાય છે. 82 વર્ષના વિષ્ણુ શરણ રસ્તોગી કહે છે કે અહીં ખગ્ગુ સરાઈમાં તેમના પરિવારના લગભગ 40 થી 42 ઘર હતા. આ આખી શેરીમાં તેનો પરિવાર રહેતો હતો. પરિવારના તમામ ધાર્મિક કાર્યક્રમો આ મંદિરમાંથી કરવામાં આવતા હતા અને કુવામાંથી પાણી લઈ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી.

વિષ્ણુ શરણ રસ્તોગીએ જણાવ્યું કે, 1978 પહેલા તેમનો આખો પરિવાર સંભલમાં રહેતો હતો. 1978માં જ્યારે રમખાણો થયા ત્યારે તે શેરીમાં એક મોટા ગોદામમાં આગ લાગી હતી. આ પછી 40 થી 42 રસ્તોગી પરિવારોએ તે જગ્યા છોડી દીધી હતી. મંદિર પણ જેમનુ તેમ છોડી દીધું હતું. આ પછી મુસ્લિમ વસ્તી ત્યાં આવીને સ્થાયી થઈ. તેમના ઘરો પણ મુસ્લિમ સમુદાયના લોકોએ ખરીદ્યા લીધા હતા. આ પછી કોઈ રસ્તોગી પરિવાર તે મંદિરમાં પૂજા કરવા ગયો ન હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img