Sunday, Sep 14, 2025

“વન નેશન વન ઇલેકશન” બિલને કેન્દ્રિય મંત્રીમંડળની લીલીઝંડી, સંસદમાં રજૂ કરાશે બિલ

2 Min Read

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ બિલ આવતા સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ બનાવવા માગે છે, તેથી આ બિલને સંસદમાંથી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને ચર્ચા માટે મોકલવામાં આવશે. જેપીસી આ બિલ પર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. જો આવું થયું તો ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાનાં એંધાણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન વન નેશન વન ઈલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ લોકસભાની ચૂંટણી પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ ભલામણોનો સ્વીકાર કર્યો હતો. પોતાના રિપોર્ટમાં સમિતિએ માત્ર બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી છે. ભલામણ મુજબ, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે, જ્યારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી બીજા તબક્કામાં યોજવી જોઈએ.

વન નેશન-વન ઈલેક્શન” એટલે શું? હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

આ પણ વાંચો :-

Share This Article