Thursday, Nov 6, 2025

સુરતમાં તાવ અને ઝાડા-ઉલટી થયા બાદ બાળકી સહિત બેના મોત

2 Min Read

સુરતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરીયામાં 399, તાવમાં 339, ગ્રેસ્ટોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ ગાજીપુરના વતની અને હાલ અમરોલી વિસ્તારમાં આવેલ અંબોલી પાણીની ટાંકી પાસે શ્યામલાલ ગૌતમ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પત્ની, પુત્ર અને 1 વર્ષની પુત્રી પ્રીતિનું ભરણપોષણ કરે છે. શ્યામલાલ પરિવાર સાથે બે દિવસ પહેલાં જ વતનથી સુરત ખાતે રોજગારી અર્થે આવ્યા હતા.

શ્યામલાલની પુત્રી પ્રીતિને ગઈકાલે સવારે તાવ આવ્યા બાદ એકાએક ઊલટી થવા લાગી હતી. જેથી પરિવારજનો બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ગત મોડી સાંજે બાળકીની વધુ તબિયત લથડતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં બાળકીનું મોત નિપજ્યું હતું.

બીજા બનાવમાં અલથાણ નવી વસાહતમાં શૈલેષભાઈ બચુભાઈ રાઠોડ રહેતા હતા. ગત રાત્રે શૈલેષભાઈને ઝાડા ચઈ હતા. બાદમાં શૈલેષભાઈની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article