HomeNationalઓડિશામાં નીલાંચલ એક્સપ્રેસ પર ફાયરિંગ, કોઈ જાનહાની નહીં

ઓડિશામાં નીલાંચલ એક્સપ્રેસ પર ફાયરિંગ, કોઈ જાનહાની નહીં

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયું છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) આ મામલાની તપાસ કરી રહી છે.

મંગળવારે સવારે 9.25 કલાકની આસપાસ કેટલાક ઈસમોએ નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ કર્યુ હતું. ટ્રેન ચરંપા રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ જીઆરપીએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ ગાર્ડના ડબ્બા તરફથી કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયા નથી. પોલીસે ટ્રેન પર ફાયરિંગ કરવાનો હેતું શું હતો તેને લઈ તપાસ શરૂ કરી છે.

RPF અને GRPએ આ મામલાને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. થોડા દિવસો પહેલાં અલગ અલર રેલવે સ્ટેશનો પર બોમ્બની ધમકી મળી હતી. તાજેતરમાં બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી.જે બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતીના કારણે ખળભળાટ મચી ગયો હતો અને આરપીએફ અને જીઆરપી પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે સતર્કતા સાથે ટ્રેનનું ચેકિંગ કર્યું હતું. જો કે બાદમાં કંઈ મળ્યું ન હતું અને દોઢ કલાકના વિલંબ બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img