Saturday, Sep 13, 2025

મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્ર પહેરશે રામલલા, પહેલી દિવાળીની તૈયારીઓ શરૂ

1 Min Read

અયોધ્યામાં આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ થયેલી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ પહેલી દિવાળી છે એટલે મંદિરમાં બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવશે, પણ એમાં ચાઇનીઝ લાઇટોનો વપરાશ કરવામાં નહીં આવે. આ સિવાય રામલલા અને તેમના ભાઈઓને પણ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેરાવવામાં આવશે. મુખ્ય મંદિર અને રામ જન્મભૂમિ પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઇટો લગાવવામાં આવશે. દિવાળી નિમિત્તે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે.

Ram Mandir: રામલલા રોજ કરે છે સફેદ ગાય અને સુવર્ણ ગજના દર્શન, રામ મંદિરમાં થાય છે રાજકુમારના આગતા-સ્વાગતા | Moneycontrol Gujarati

આ સિવાય રામલલ્લા અને તેમના ભાઈઓને પણ ફેશન ડીઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડીઝાઈન કરેલા વસ્ત્રો પહેરાવવામાં આવશે મુખ્ય મંદિર અને રામ જન્મભૂમી પથ પર દીવા પ્રગટાવવામાં આવશે અને લાઈટો લગાવવામાં આવશે. દિવાળી નિમિતે મંદિરમાં તમામ આરતી વખતે ભગવાન માટે સ્પેશ્યલ ભોગ તૈયાર કરવામાં આવશે. રામ જન્મભૂમી સંકુલમાં કુલ બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે.જોકે દિવામાંથી નીકળતા તેલને કારણે કાળા ડાઘ પડતા હોવાથી ચોકકસ જગ્યાઓ પર દીવા મુકવામાં નહિં આવે. ત્યાં લાઈટો ગોઠવવામાં આવશે.

રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દિવાળીના દિવસે અન્ય પૂજારીઓ સાથે મળીને વેદિક પદ્ધતિથી પૂજા કરશે. મંદિર સંકુલને લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article