Thursday, Oct 23, 2025

આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા શરુ

2 Min Read

આવતીકાલથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ જશે, આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાની ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, તો વળી ભાજપ 10મી ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રાની તૈયારીઓ કરી રહ્યું છે. બન્ને પક્ષો લોકોની વચ્ચે જવા માટે યાત્રાઓ કાઢી રહ્યાં છે. વિપક્ષ દ્વારા ગુજરાતની દૂર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે એ માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં અવશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની ન્યાયયાત્રા આવતીકાલે મોરબીના દરબાર ગઢથી શરૂ થશે, જે વિવિધ શહેરથી પસાર થઈને 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે.

राहुल गांधी के नेतृत्व वाली 'भारत न्याय यात्रा' का नाम बदलकर 'भारत जोड़ो न्याय यात्रा' कर दिया गया, मणिपुर मुंबई मार्ग - इंडिया टुडे

ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી શરૂ થઈને રાજકોટ, સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર પહોંચશે. આ ન્યાયયાત્રામાં કુલ 300 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આવતીકાલ એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે.

કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.

મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનાના સ્થળેથી ન્યાયયાત્રા શરૂ થશે. સવારે 9 વાગે દુર્ઘટના સ્થળ પર ધ્વજ ફરકાવીને આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. યાત્રા 11 તારીખે રાજકોટ પહોંચશે. રાજકોટમાં TRP ગેમ ઝોન પર સંવેદના સભા યોજવામાં આવશે. આ પછી 13 તારીખે યાત્રા આગળ વધશે અને 15 ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ કરાશે. ત્યાંથી આગળ વધીને યાત્રા અમદાવાદ પહોંચશે. જ્યાંથી યાત્રા ગાંધીનગર પહોંચશે.

આ પણ વાંચો :-

Share This Article