HomeInternationalનાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાની ઈમારત ધરાશાયી, ૨૨ વિદ્યાર્થીઓના મોત

નાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાની ઈમારત ધરાશાયી, ૨૨ વિદ્યાર્થીઓના મોત

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્‍માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્‍ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના ત્‍યારે બની હતી જ્‍યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્‍યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

22 બાળકોના મોત... નાઈજીરિયામાં આખરે કેમ અને કેવી રીતે પડી સ્કુલ? - News Capital

ઘટનાસ્‍થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે પઠાર રાજ્‍યના બુસા બુજી સમુદાયની સેન્‍ટ્‍સ એકેડમી કોલેજમાં પહોંચ્‍યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્‍માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા ૧૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસ પ્રવક્‍તા આલ્‍ફ્રેડ અલાબોએ જણાવ્‍યું હતું કે કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી ૧૩૨ને બચાવી લેવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે.

અકસ્માત બાદ ડઝનેક ગામલોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી રહી હતી, જ્યારે કેટલાક મદદ માગતા જોવા મળ્યા હતા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સત્તાવાળાઓ ઘણીવાર આવી આપત્તિઓને બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img