HomeNationalદેશમાં પહેલીવાર લોકસભા સ્પીકરની ચૂંટણી, જાણો કોણ બનશે સ્પીકર ?

દેશમાં પહેલીવાર લોકસભા સ્પીકરની ચૂંટણી, જાણો કોણ બનશે સ્પીકર ?

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

આજે ૧૮મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.

parliament 2024 nda oath taking updatesપૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા એનડીએના આશાસ્પદ તરીકે આજે નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. તે જ સમયે વિપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવું જોઈએ. સત્તાધારી પક્ષ દ્વારા ઓમ બિરલાનું નામ પણ આગળ કરવામાં આવ્યું છે. ઓમ બિરલા આજે પીએમ મોદીને પણ મળ્યા છે.

લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપને આ વર્ષે બહુમત મળી નથી. જો કે ૨૪૦ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ ૨૯૩ છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ૯૯ બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ ૯૮ થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે ૨૩૩ સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય ૧૬ લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે.

૧૮મી લોકસભાના પ્રથમ સત્રની તોફાની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન શપથ લેવા માટે ઉભા થયા કે તરત જ વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા અને બંધારણની નકલો દેખાડવાની શરૂ કરી દીધી. આ દરમિયાન પીએમ મોદીએ ઈમરજન્સીને યાદ કરતા કહ્યું કે ૨૫ જૂન એક અવિસ્મરણીય દિવસ છે. ૫૦ વર્ષ પહેલા આ દિવસે બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભાજપના સાંસદ ભૃથરી મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img