HomeNationalવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે લીધો નિર્ણય, ૯.૩ લાખ બનશે લાભાર્થી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે લીધો નિર્ણય, ૯.૩ લાખ બનશે લાભાર્થી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પીએમ કિસાન સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. પીએમના આ નિર્ણય બાદ પીએમ કિસાન નિધિનો ૧૭મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. PM પદ પર આવતાની સાથે નરેન્દ્ર મોદીએ મહત્વના નિર્ણય કર્યા છે. જ્યાં એક બાજું શપત ગૃહણ કરતાની સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. જે બાદ PM ટેલિફોનીક વાત પણ કરી હતી.

After PM Modi signs first file of term 3, Congress says 'one-third Pradhan Mantri has made a great show' | India News - The Indian Express

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયના પ્રથમ દિવસે જ PM મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ લગભગ ૯.૩ કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ ૨૦ હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને કરતી રહેશે. રવિવારે મોદી સરકાર ૩.૦નો શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થયો છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારંભમાં એક એક કરીને ચૂંટાયેલા ૭૨ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે ૩૦ સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી ૩.૦માં રાજ્ય મંત્રી તરીકે ૩૬ નેતાઓનો સમાવેશ કરાયો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ ૩૧ કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી અને ૩૬ રાજ્ય કક્ષાના મંત્રી સામેલ કરાયા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img