બિહારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાગરિયા જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. જેમાં સાત લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
કારમાં સવાર જાનૈયા એક લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ પાછા આવી રહ્યા હતા અને આ અકસ્માત NH-૩૧ પર થયો હતો. દુર્ઘટનામાં અન્ય ૪ લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
- ધર્મેન્દ્ર ભાઈ (ડ્રાઈવર)
- ગૌતમ ભાઈ
- મોનુ ભાઈ
- અમન ભાઈ
- વિકાસ ભાઈ
- અંશુ ભાઈ
- દિલોન ભાઈ
- પલ્ટુ ભાઈ
- પ્રકાશ ભાઈ
માર્ગ અકસ્માતમાં મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગોગરી ડીએસપી રમેશ કુમારે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આ ઘટનાને પગલે લગ્નજીવનની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ. આ બનાવથી સમગ્ર પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. એક જ પરિવારના આટલા લોકોના મોતના કારણે પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.
આ પણ વાંચો :-