HomeNationalઅજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત, એન્જિન સહિત ચાર કોચ પાટા પરથી ઉતાર્યા

અજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત, એન્જિન સહિત ચાર કોચ પાટા પરથી ઉતાર્યા

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે અમદાવાદથી આગ્રા કેન્ટ જનાર ટ્રેન નંબર ૧૨૫૪૮ સાથે બની છે. સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ ૦૧:૧૨ વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.

અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

રેલ્વે અધિકારીઓએ તેમના સ્ટાફને અજમેરની રેલ્વે હોસ્પિટલ જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, જેથી જે પણ લોકો અકસ્માતમાં ઘાયલ થાય તો તેની સારવાર થઈ શકે. વળી, રેલ્વે અધિકારીઓએ અજમેર રેલ્વે સ્ટેશન અને મદાર રેલ્વે સ્ટેશન પર જર્નલ કોચના મુસાફરો માટે ભોજન અને તબીબી વ્યવસ્થા પૂરી પાડી છે અને રૂટ સામાન્ય થયા પછી, તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે.

ADRM બલદેવ રામે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલી અજમેર આગ્રા ફોર્ટ સાબરમતી પેસેન્જર ટ્રેન ગઈકાલે સાંજે ૫:૦૦ વાગ્યે સમયસર નીકળી હતી. તેમણે કહ્યું કે ટ્રેનનું સંચાલન સરળ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ રાત્રે ૦૧:૧૨ વાગ્યે મદાર રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલાં, જ્યારે થોડી દૂર બીજી ટ્રેનથી ટ્રેક બદલતી વખતે, પેસેન્જર ટ્રેન સાઈડથી અથડાઈ હતી. જો કે અકસ્માતના અન્ય ટેકનિકલ કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. કહેવાય છે કે દુર્ઘટનાને કારણે પાટા પોતાની જગ્યાએથી ખસી ગયા છે.

રેલવેએ વધુમાં કહ્યું કે, ‘આમાં કોઈ જાનહાનિ થઈ નથી. તાત્કાલિક પગલાં લેતા રેલ્વે અધિકારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને અકસ્માત રાહત ટ્રેન માદર પહોંચી ગઈ છે અને ટ્રેક પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વાહનનો પાછળનો ભાગ અજમેર લઈ જવામાં આવી રહ્યો છે. અજમેર સ્ટેશન પર રેલવે દ્વારા હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે અને હેલ્પલાઈન નંબર ૦૧૪૫-૨૪૨૯૬૪૨ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img