Saturday, Sep 13, 2025

આસામ રાઇફલ્સના જવાને પોતાના જ સૈનિકો પર કર્યુ ફાયરિંગ, ૬ લોકો ઈજાગ્રસ્ત

2 Min Read

દક્ષિણ મણિપુરમાં આસામ રાઈફલ્સના એક જવાને તેના સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો હોવાની ઘટના સામે આવી રહી છે. જેમાં ૬ જવાનો ઘાયલ થયા છે. જ્યારે તેણે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના આસામ રાઈફલ્સ બટાલિયનના કેમ્પસમાં બની હતી, જ્યાં મણિપુરના ચુરાચંદપુરમાં રહેતા સૈનિકે પોતાના સાથી સૈનિકો પર બંદૂક વડે ઓપન ફાયરિંગ કરી દીધું હતું.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

માહિતી અનુસાર હુમલો કરનાર જવાન કુકી સમુદાયનો હતો. જેનું ઈજાને લીધે મોત નીપજ્યું હતું. એવો પણ ઘટસ્ફોટ થયો છે કે હુમલાખોરને મૈતેઈ સમુદાયથી કોઈ લેવા દેવા નથી અને તે મણિપુરનો રહેવાસી પણ નહોતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. જો કે તેણે આ ગોળીબારની ઘટનાને કેમ અંજામ આપ્યો તેના વિશે પણ હજુ કોઈ માહિતી નથી. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article