HomeNationalછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ, કેરળમાં ૩ દર્દીઓના મોત

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ, કેરળમાં ૩ દર્દીઓના મોત

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

કોરોના સંક્રમણને લઇને સૌથી વધુ ચિંતા કેરળમાં વધી રહી છે. ત્રણ વર્ષ પહેલા સંક્રમણ શરૂ થયા પછી કોરોનામાં મૃતકોની સંખ્યા ૭૨ હજાર ૫૬ સુધી પહોંચી ગઇ છે. કેરળમાં તાજેતરમાં કોરોના વાયરસના નવા સબ વેરિએન્ટ જેએન.૧ની ખબર પડી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોને કોઇ પણ રીતની સ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.

ઠંડી વધવાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે પ્રસાશનની ચિંતા વધી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ ના ૩૪૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં ૩ દર્દીઓના મોત થયા છે.

આજે સવારે ૮ વાગ્યા સુધી દેશભરમાં નોંધાયેલા ૩૪૧ કોવિડ-૧૯ ના કેસોમાંથી ૨૯૨ માત્ર કેરળના છે. આ ઉપરાંત તમિલનાડુમાં ૧૩, મહારાષ્ટ્રમાં ૧૧, કર્ણાટકમાં ૯ તેલંગાણા અને પુડુચેરી ૪-૪, દિલ્હી અને ગુજરાત ૩, પંજાબ અને ગોવા ૧ કેસ નોંધાયા છે. આ સાથે બુધવારે ભારતમાં એક્ટીવ કેસલોડ વધીને ૨,૩૧૧ થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડ-૧૯ કેસ અને મૃત્યુમાં અચાનક વધારાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img