HomeSurat Cityસુરતમાં ૯ વર્ષના બાળકને ૧૫ શ્વાને ટોળાએ બચકા ભરી લોહીલુહાણ કર્યો

સુરતમાં ૯ વર્ષના બાળકને ૧૫ શ્વાને ટોળાએ બચકા ભરી લોહીલુહાણ કર્યો

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...
spot_img

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાંથી રખડતા કૂતરાઓના આતંકની ઘટના સામે આવી છે. પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસેથી વહેલી સવારે ૯ વર્ષનો બાળક શાળાએ જઈ રહ્યો હતો. આ દરમિયાન ૧૫થી ૨૦ જેટલા રખડતા કૂતરાનું ટોળું તેની પાછળ દોડ્યું અને નીચે પાડી દીધો હતો અને બાદમાં શરીરના ભાગે ૨૫થી વધુ બચકા ભરી લીધા હતા. જેના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. હાલમાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક રહેવાસી ચિનુભાઈએ જણાવ્યું હતું કે, પંદરેક જેટલા શ્વાનો બાળકને પછાડી દીધો હતો. અમે સમયસર દોડી જતા બાળક બચી ગયો હતો. અહિયાં શ્વાનોનો ખુબ જ આંતક છે. અહીં ચીકનની લારીઓ છે જેથી શ્વાનો અહીં જ રહે છે. અહીં બાઈક પર પસાર થતા લોકોને પણ બચકાં ભરવા તેઓ દોડે છે. SMC વાળા અહીં આવે છે તો ફરીને જતા રહે છે પણ પકડતા નથી. બાળકને માથામાં તો આખું ચામડું કાઢી નાખ્યું છે. આ ઉપરાંત ગળા અને ડાથ પગ પર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img