Sunday, Sep 14, 2025

અયોધ્યામાં રામ મંદિર માટે ૭ ધ્વજ થાંભલાઓનું નિર્માણ અમદાવાદમાં ચાલી રહ્યું છે.

2 Min Read

અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે આ અયોધ્યાના રામ મંદિરને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને આ માહિતી છે શ્રીરામ મંદિરમાં લગાવવામાં આવતા સાત ધ્વજદંડ સંબંધિત.

ધ્વજદંડનું આપણા ગર્વીલા ગુજરાત સાથે ગાઢ કનેક્શન છે, કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે એનું નિર્માણ ગુજરાતમાં જ કરવામાં આવી રહ્યું છે. વાત કરીએ આ ધ્વજદંડા વજન વિશે તો મુખ્ય ધ્વજદંડ સહિત સાત ધ્વજદંડનું વજન આશરે ૫૫૦૦ કિલોની આસપાસ છે. સંપૂર્ણપણે પિતળમાંથી બનાવવામાં આવતા આ ધ્વજસ્તંભની લંબાઈ ૪૪ ફૂટ અને પહોળાઈ ૯.૫ ઈંચ જેટલી છે.

તેનું માળખું તૈયાર છે અને હવે તેના ઉપરના ભાગનું બાંધકામ બાકી છે. એક્ઝિક્યુટીંગ એજન્સીના એક અધિકારીના આ રસ્તે ચાલીને રેમ્પાર્ટ સિવાય મંદિરની સંપૂર્ણ મુલાકાત લઈ શકાય છે. તે જ સમયે, મંદિરના ફ્લોર પર માર્બલ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. ૬૦ ટકા માર્બલ ફ્લોર પર લગાવી દીધો છે. આ ઉપરાંત મંદિરના નૃત્ય મંડપની સાથે રંગ મંડપના શિખર પણ તૈયાર છે. સ્તંભને મંદિરના ગર્ભગૃહથી લઈને શિખર સુધી લગાવવામાં આવશે અને એનું નિર્માણ શાસ્ત્રીય રીત પ્રમાણે કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ ૮૦૦ મીટર લંબાઈનો રિંગ રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રોડ પર ચાલીને શ્રદ્ધાળુઓ મંદિરનો આખો ચક્કર લગાવી શકે છે.

આ પણ વાંચો :-

Share This Article