HomeGujaratઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૧ પર્વતખેડુના મોત

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૧ પર્વતખેડુના મોત

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ૧૧ પર્વતખેડુના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ ૧૧ પર્વતખેડુના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતખેડુના જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ લાપતા છે. આ લાપતા પર્વતારોહકોની તલાશ કરવામાં આવી રહી છે.

શનિવારે ઘટનાના દિવસે કુલ ૭૫ પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઈ છે. જેના કારણે પર્વતખેડુતો ગાયબ થઈ ગયા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. પર્વત પર ચઢવાના બે રસ્તા જ્વાળામુખી વિસ્ફોટ વાળા સ્થાનથી નજીક છે જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જ્વાળામુખીના મુખથી ૩ કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાની આશંકા છે.

જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ ૩૦૦૦ મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories