HomeNationalઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટની આડમાં આતંકવાદી ષડયંત્ર

ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટની આડમાં આતંકવાદી ષડયંત્ર

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોની ખરીદી, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ પછી શરૂ થયેલો હોબાળો અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. હકીકતમાં ૧૭ નવેમ્બરના રોજ હઝરતગંજમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓ દ્વારા આતંકવાદનું ફંડિંગ થઈ રહ્યું છે અને તેના દ્વારા રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. એફઆઇઆરમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓ જે ઉત્પાદનો બનાવી રહી છે તે માત્ર ચોક્કસ શ્રેણીના ઉત્પાદનોને અને તેના વેચાણને પ્રોત્સાહન આપવા માટે છે. આ કારણે અન્ય સમુદાયનું વેચાણ ઘટે છે. આ એફઆઇઆર દાખલ થયા બાદ યુપી સરકારે ૧૮ નવેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશ સરકારે હલાલ પ્રમાણિત ઉત્પાદનો અને તમામ પ્રકારના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સરકાર માને છે કે આવા ખાદ્ય ઉત્પાદનો અથવા વેચવામાં આવતી અન્ય પ્રોડક્ટ્સને લાઇસન્સ આપવાની કાનૂની પ્રક્રિયા ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ આવે છે. હલાલ સર્ટિફિકેટ આપતી કંપનીઓના કાર્યક્ષેત્રમાં આવતા નથી. તેથી આવું કોઈપણ પ્રમાણપત્ર આપવા પર પ્રતિબંધ છે.

ગૃહ મંત્રાલયને આપવામાં આવેલી અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જમિયત ઉલેમા-એ-હિંદ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદના લોકોના તાર સીધા આતંકવાદીઓ સાથે જોડાયેલા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે. ગૃહ મંત્રાલયને આપવામાં આવેલી અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જમિયત ઉલેમા-એ-હિંદ, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદીઓને કારણે દેશની સુરક્ષા ખતરામાં છે. તેથી, NIA, ED અને CBI દ્વારા તેમની કામગીરીની તપાસ કરવા ગૃહ મંત્રાલય પાસે માંગ કરવામાં આવી હતી.

આ મામલાની તપાસ એસટીએફને સોંપવામાં આવી છે ત્યારે એક વાત ચોક્કસ છે કે હવે ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફિકેટનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે આ મામલો માત્ર ઉત્તર પ્રદેશ પૂરતો સીમિત નહીં રહે. ટેરર ​​ફંડિંગની તપાસમાં એસટીએફ સૌથી વધુ ફોકસ કરે તેવી પૂરી સંભાવના છે. જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે, ત્યારે કોઈ સમાધાન કરી શકાય નહીં.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img