HomeNationalમુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલ ને રૂ. ૫...

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલ ને રૂ. ૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે મુખ્તાર અન્સારી પર રૂ. ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગઈકાલે કોર્ટે તેને આ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. અંસારી વિરુદ્ધ ગાઝીપુરની એમપી/એમએલએ કોર્ટમાં ગેંગસ્ટરનો કેસ ચાલી રહ્યો હતો. થોડા દિવસો પહેલા જેલ શિફ્ટિંગ દરમિયાન તેણે એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમની આશંકા એવી હતી કે સ્થળાંતર દરમિયાન તેનું એન્કાઉન્ટર થઈ શકે છે.

આ જ કેસમાં સોનુ યાદવને ૫ વર્ષની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગાઝીપુર કોર્ટે ગુરૂવારે માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૧ માં કરંડા પોલીસ સ્ટેશનમાં બે કેસમાં તેને ગેંગ ચાર્ટ બનાવ્યા બાદ ગેંગસ્ટર એક્ટના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્તાર અંસારીને મૂળ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય અદાલતે નિવૃત્ત શિક્ષક કપિલદેવ સિંહની ૨૦૦૯માં હત્યાનું ષડયંત્ર ઘડવા બદલ માફિયા મુખ્તાર અંસારી સામે કેસ ચાલી રહ્યો હતો. મુખ્તાર અંસારી હાલમાં ખંડણી, હત્યા, લૂંટ, અપહરણ અને અન્ય ઘણા કેસોમાં જેલમાં સજા કાપી રહ્યો છે. તેને મૂળ કેસમા નિર્દોષ જાહેર કરવામા આવ્યો હતો અને તે બાદ ગેંગસ્ટર એક્ટ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત જાહેર થવાના મુદ્દે સરકારી વકીલ નીરજ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગેંગસ્ટરિઝમની જોગવાઈ કરવામાં આવી છે. તે સમય સુધી આરોપીઓ પર ગમે તે કલમ અને ગુનાનો કેસ ચાલતો હતો, તે કેસમાં સાક્ષીઓની પ્રતિકૂળતાના કારણે આરોપીઓના ડરથી તેઓ નિર્દોષ છૂટી જતા હતા.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img