Thursday, Jan 29, 2026

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો

1 Min Read
  • અમદાવાદમાં બુધવાર રાત્રે થયેલા અકસ્માતમાં ૯ લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે તપાસ દરમિયાન ભાંગરો વાટ્યો હતો.

પોલીસે રિકસ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો હતો. બનાવ સ્થળની જગ્યાએ અન્ય સ્થળે તપાસ કરી હતી બનાવ જગ્યા પર માર્કિંગ કર્યુ હતું. ડીસીપીએ ઠપકો આપતા ફરી વખત આરોપીઓને ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન પર લાવવામાં આવશે.

પિતા પુત્ર વિરૂદ્ધ પોલીસે 304,504, 506 (2), 114, 338, 337, 279નો કલમો ઉમેરીને ગુનોં દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ વધુ કાર્યવાહી અર્થે પોલીસે પિતા-પુત્ર બન્નેને ઘટનાસ્થળ પર લઈ જઈને અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે પિતા-પુત્રને ઘટનાસ્થળ પર જ ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી હતી.

આ પણ વાંચો :-

Share This Article