HomeNationalઅલ્મોડાની આ મરઘીએ એક દિવસમાં આપ્યાં એટલા ઈંડા કે પશુપાલન ટીમ મરઘીને...

અલ્મોડાની આ મરઘીએ એક દિવસમાં આપ્યાં એટલા ઈંડા કે પશુપાલન ટીમ મરઘીને જોવા પહોંચી

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

This hen of Almora gave so many eggs

  • ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના તહસીલ ભીકિયાસૈન અંતર્ગત બાસોડમાં એક એવી અદભુત ઘટના બની છે. જેને સાંભળ્યું અને જોયું તે હેરાન રહી ગયો છે.

અહીં એક મગફળી (Peanuts) અને લસણ (Garlic) ખાવાની શોખીન મરઘી સતત ઈંડા આપી રહી છે. આ મરઘીએ એક જ દિવસમાં 31 ઈંડાં મૂકીને બધાને ચોંકાવી દીધા છે. ખાસ વાત એ છે કે આ મરઘીને કોઈપણ પ્રકારની બીમારી નથી અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ઉત્તરાખંડના (Uttarakhand) અલ્મોડા જિલ્લાના ભિકિયાસૈંણના મરઘીએ એક જ દિવસમાં 31 ઈંડા (egg) આપીને સૌને ચોંકાવી દીધા છે. બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે. તેમનો દાવો છે કે તેમની મરઘીએ એક દિવસમાં 31 ઈંડા આપ્યા છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ગિરીશનું કહેવુ છે કે મરઘી અત્યાર સુધીમાં 10 દિવસમાં 52 ઈંડા આપી ચુકી છે.

વીડિયો વાયરલ થયા બાદ પશુપાલન વિભાગની ટીમ મરઘીને જોવા પહોંચી છે. બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની કહે છે કે, બાળકોના કહેવા પર તેમણે બે મરઘી પાળી હતી. આમ તો મરઘી એક અથવા બે જ ઈંડા આપતી હતી. પણ રવિવારને તેણે એક પછી એક 31 ઈંડા આપ્યા હતા. ગિરીશ ચંદ્ર બુધાનીએ જણાવ્યું હતું કે, 12 કલાકમાં મરઘીમાં 31 ઈંડા આપ્યા અને તે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં મરઘીએ 52 ઈંડા આપ્યા છે.

ગિરીશે જણાવ્યું છે કે મરઘી સામાન્ય રીતે જ ખાવાનું ખાઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે લસણ અને મગફળી મરઘીને ખૂબ પસંદ છે. આ તમામની વચ્ચે વાયરલ વીડિયો જોઈને પશુપાલન વિભાગ પણ હૈરાન થઈ ગયા અને ગિરીશના ઘરે જઈ પહોંચ્યા. પશુપાલન વિભાગના અધિકારી પણ ગિરીશને મળ્યા અને તેને હકીકત જાણ્યું. સાથે જ પશુપાલન વિભાગના અધિકારીએ ગિરીશને કહ્યું કે, તે મરઘી માટે થોડોક કેલ્શિયમનો ખોરાક આપ્યો. જેથી તે ઈંડા આપતી રહે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img