HomeGujaratટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો : ગુજરાતમાં 5 જુલાઈ...

ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો : ગુજરાતમાં 5 જુલાઈ સુધી 4 ટ્રેનો રદ્દ, 8ના રૂટમાં કાપ

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની...
spot_img

If you want to travel by train

  • સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરનારા લોકોએ એક અઠવાડિયા સુધી વેઠવી પડશે હાલાકી, રાજકોટ-સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકની શરૂ થશે કામગીરી

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ (Four trains canceled) કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ – સુરેન્દ્રનગર સેકશનમાં (Rajkot – Surendranagar section) ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી  તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે.

4 ટ્રેનો રદ : સૌરાષ્ટ્રના રેલ વ્યવહારને થશે અસર :

રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે  સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.  કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા  રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે  જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ – રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે.

આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા :

આંશિક રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા – ભાવનગર, સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ ,  હાપા – મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર – બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા – વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા – રાજકોટ, તુતીકોરીન – ઓખા  વિવેક એકસપ્રેસ, હાપા – મડગાંવ અને ઓખા – પુરી અને ગોરખપુર – ઓખા, જામનગર – તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે.

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img