મધ્ય નાઈજીરિયામાં સશસ્ત્ર જૂથોના હુમલામાં ૧૧૩ લોકો માર્યા ગયા હતા. આ હુમલો શનિવાર અને રવિવારે થયો હતો. મધ્ય નાઇજીરિયાના પ્લૈટોમાં હિંસક અથડામણ થઇ હતી. નાઈજીરિયાનો આ વિસ્તાર ધાર્મિક અને વંશીય તણાવથી ઘેરાયેલો છે. અહીં અવારનવાર ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા છે. અગાઉ મે મહિનામાં પણ અહીં હિંસાની ઘટનાઓમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા.
હુમલામાં ૧૬ લોકોના મોત થયા છે. પરંતુ બાદમાં ૧૧૩ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી હતી. પ્લૈટો રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારના રોજ હુમલાઓમાં ૧૧૩ લોકો માર્યા ગયા હતા. અહીં ડાકુઓના એક જૂથે ઓછામાં ઓછા ૨૦ સમુદાયો પર હુમલો કર્યો હતો. જેમાં ૧૧૩ લોકોના મોત થયા છે જ્યારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-