ભૂતપૂર્વ અગ્નિવીરોને CISF-BSF ભરતીમાં ૧૦% અનામત, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

Share this story

અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું પગલું લેતા આ યોજનામાં ફેરફાર કર્યો છે. કેન્દ્રે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલોની ૧૦ ટકા જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખી છે. સરકાર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)માં પણ શારીરિક કસોટીમાં છૂટ આપશે.

Govt Jobs : સેના માટે Agneepath scheme શરૂ, સેલેરીથી લઈને ભવિષ્યની યોજના સુધી જાણો સમગ્ર માહિતી - Gujarati News | Govt Jobs: Agneepath scheme launched for army, army is telling plan from

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. સાથે જ પૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત રહેશે. શારીરિક કસોટીમાંથી પણ પૂર્વ અગ્નિવીરોને મુક્તિ મળશે અને CISFમાં પણ ૧૦ ટકા જગ્યાઓ અનામત રહેશે. જ્યારે, CISFના મહાનિર્દેશક નીના સિંહે જણાવ્યું કે CISFએ પણ આ સંબંધમાં બધી તૈયારીઓ કરી લીધી છે.

દરમિયાન સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહે કહ્યું કે CISF પણ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. ૧૪ જૂન,૨૦૨૨ ના રોજ જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં ૧૭ થી ૨૧ વર્ષની વયના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં આગામી ૧૫વર્ષ સુધી ૨૫ ટકા ટકા રાખવાની જોગવાઈ છે. બાદમાં સરકારે ઉપલી વય મર્યાદા વધારીને ૨૩ વર્ષ કરી હતી.

આ પણ વાંચો :-