હમાસ સાથે ઇઝરાઇલનું યુદ્ધ આજે ૧૪મો દિવસ છે. ઈઝરાઇલમાં પશ્ચિમી નેતાઓની મુલાકાત ચાલુ છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે તેલ અવીવને સમર્થન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, ઇઝરાઇલ પર હુમલો કરી રહેલા હમાસના આતંકવાદીઓ અને યુક્રેન પર હુમલો કરીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાડોશી લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિડેને ઓવલ ઓફિસમાંથી એક ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે હમાસ અને પુતિન અલગ-અલગ જોખમોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ બંને પડોશી લોકશાહીને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે.
ગાઝાના ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું છે. ચર્ચના પાદરીએ આશંકા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં કોણ હુમલો કરી શકે છે? અને હવે ચર્ચ પર હુમલો કરવાનો આરોપ કોના પર હતો? હમાસે શું કહ્યું?
ઇઝરાઇલના ગાઝા વિસ્તારમાં હુમલા ચાલુ છે. ઑક્ટોબર ૧૯ના રોજ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં દક્ષિણનો વિસ્તાર પણ સામેલ હતો. આ તે વિસ્તાર છે જ્યાં પેલેસ્ટાઇનના નાગરિકોને આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું હતું. અન્ય એક જગ્યાએ પણ જોરદાર વિસ્ફોટ થયો હતો જ્યાં લોકોએ આશ્રય લીધો હતો. આ વિસ્ફોટ ગાઝા શહેરમાં સ્થિત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો.
ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. જ્યારે અન્ય ડઝનેક લોકો ઘાયલ થયા છે. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. હુમલામાં ચર્ચની મેનેજમેન્ટ ઓફિસની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઘણા પેલેસ્ટિનિયન પરિવારોએ આશરો લીધો હતો, જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ બંને ધર્મના પરિવારોનો સમાવેશ થાય છે.
ગાઝાના સેન્ટ પોફ્રિરિયસ ચર્ચનો લાંબો ઇતિહાસ છે. તે ૧૧૫૦ અને ૧૧૬૦ ના દાયકાની વચ્ચે ક્રુસેડર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને તેનું નામ ગાઝાના 5મી સદીના બિશપના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અલજઝીરાના અહેવાલ મુજબ, જ્યારે ઈઝરાઇલે ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે આ ચર્ચના પાદરી ફાધર ઈલિયાસે આશંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ ટૂંક સમયમાં ચર્ચને પણ નિશાન બનાવી શકે છે. તે દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે ચર્ચ પરનો કોઈપણ હુમલો એ ધર્મ પરના હુમલા સમાન હશે, કારણ કે તે માત્ર ધિક્કારપાત્ર કૃત્ય જ નહીં પરંતુ માનવતા પર પણ હુમલો હશે.
આ પણ વાંચો :-
- નેશનલ હાઈવે પર વલસાડમાં બસનું ટાયર ફાટતાં લક્ઝરી બસમાં લાગી આગ
- બંદૂકની અણીએ PMOએ બિઝનેસમેનથી હસ્તાક્ષર કરાવ્યાં, મહુઆ મોઈત્રાએ એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ