વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠીના નામની બનાવવામાં આવેલા પરોડી અકાઉંટની મદદથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા ને લઈ એક પોસ્ટ કરવામાં આવી છે. જોકે અંજલિ બિરલા વાળી પોસ્ટમાં જે કોઈ પણ માહિતી લખવામાં આવી છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી. જોકે આ મામલે FIR નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ FIR ધ્રુવ રાઠી વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ કેસમાં દાખલ કરવામાં આવી છે. પોસ્ટ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે પરીક્ષા આપ્યા વિના જ UPSC પાસ કરી દીધી. મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા FIR નોંધવામાં આવી છે.
ઓમ બિરલાના પરિવારના સભ્યની ફરિયાદ બાદ ધ્રુવ રાઠી વિરુદ્ધ આ FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે અંજલિ બિરલાએ પોસ્ટ દ્વારા UPSC પરીક્ષા પાસ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં કહેવાય છે કે અંજલિએ પરીક્ષા આપ્યા વિના જ પરીક્ષા પાસ કરી દીધી હતી.
આ પણ વાંચો :-