Friday, Oct 24, 2025

કોણ છે આ સંત જેઓ બન્યા પીએમ મોદીના ટેકેદાર?

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર હતા.

વડાપ્રધાન મોદીના ઉમેદવારી ફોર્મના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાડ, સરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, રામદાસ આઠવલે, ચંદ્રાબાબુ નાયડુ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પવન કલ્યાણ, સંજય નિષાદ, ડરદીપ સિંહ પુરી, જીતન રામ માંઝી અને ઓમપ્રકાશ રાજભર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માટે ચાર તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને બે તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદીએ ગંગાની પૂજા તેમજ કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર માટે ચાર ટેકેદારોના નામ નક્કી કર્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા બાદ આ તમામના નામ ફાઇનલ કર્યા હતા. ભાજપે ટેકેદારોના નામમાં જાતીય સમીકરણને સાધવાનું પણ કામ કર્યુ છે. ચાર ટેકેદારોમાં એક બ્રાહ્મણ, બે ઓબીસી સમાજના અને એક દલિત વર્ગના છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્ય મંત્રી તેમજ અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા.

who-are-four-people-who-became-pm-modis-proponents-one-of-whom-has-a-special-connection-with-ram-temple-acharya-ganeshwar-shastri-dravid-baijanath-patel-lalchand-kushwaha-and-sanjay-sonkar-329847

આ પણ વાંચો :-

Share This Article