HomeNationalહાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા

હાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાની કોઇ જાણકારી હજી સુધી મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી હોનારત થતા બચી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલી ટ્રેનના બે ડબ્બા અલગ થઇ ગયા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઇ જાનહાની જાણકારી મળી નથી. અધાકરીઓએ જણાવ્યું કે આ ઘટના લગભગ ગઇ કાલે રાત્રે ૯:૩૦ વાગ્યાની છે. હાવડા-મુંબઇ મેલ (૧૨૮૧૦)ના બે ડબ્બા બિરશીબપુર પાસે અલગ થઇ ગયા હતાં.

ટ્રેનની સ્પીડ ધીમી હતી. સાઉથ ઇસ્ટર્ન રેલવે ચીફ પબ્લિક રિલેશન ઓફિસર આદિત્ય ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સિનિયર ઓફીસર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને પરિસ્થીતીની જાણકારી મેળવી હતી.
વર્ષે જૂન મહિનામાં પશ્ચિમ બંગાલના બાંકુડામાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી હતી. બે માલગાડીઓ એક બીજા સાથે ટકરાતા ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. જ્યારે એક માલગાડી ઓંડા સ્ટેશન પરથી જઇ રહી હતી ત્યારે બીજી માલગાડીએ તેને ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ ખડર્ગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેન સેવા ખોરંભાઇ હતી. જોકે આ દુર્ઘટનામાં પણ સદનસીબે કોઇ જાનહાની થઇ નહતી.

Subscribe

Latest stories