22 વર્ષથી ન્હાયા વગર ફરે આ શખ્સ, ન ન્હાવા માટેની પ્રતિજ્ઞા સાંભળીને ચોંકી જશો

Share this story

This guy who hasn’t bathed

  • પોતાની કઠોર પ્રતિક્ષા માટે બધુ જ ગુમાવવાની પરંપરા મહાભારત અને રામાયણના સમયથી સાંભળી હશે. ઘણીવાર લોકો કોઈ કારણે એવું પ્રણ લઈ લે છે કે, ઘણીવાર તે પોતાના માટે જ મુશ્કેલ ઉભી કરે છે. પરંતુ ગમે તે થઈ જાય તેઓ પોતાના નિયમને નથી તોડતા. તેવી જ રીતે એક વૃદ્ધે અજીબ પ્રતિજ્ઞ બે દશકથી લઈને રાખી છે.

બિહારના (Bihar) ગોપાલગંજમાં (Gopalganj) રહેતા ધર્મદેવે 22 વર્ષથી પાણીનું એક ટીપું પણ પોતાના શરીર પર નથી અડાડ્યું. ન ન્હાવાથી તેમના શરીરમાંથી અતિષય દુર્ગંધ (Overwhelming stench) આવવાના કારણે તેમની નોકરી પણ જતી રહી. છતાં પોતાની પ્રતિજ્ઞા ન તોડી. આ પ્રણ પાછળ 3 મોટા કારણો છે જેના કારણે તેઓ ક્યારેય આ પ્રણ નથી તોડવાના. ભલે તેઓ ખુદ તૂટી જાય પણ આ પ્રણ નહીં તોડે. ધર્મદેવે કસમ ખાધી છે કે, જ્યારે મહિલાઓ પ્રત્યે અત્યાચાર, જમીન વિવાદ અને જીવ હત્યા ખતમ નહીં થાય ત્યાં સુધી તેઓ નહી ન્હાય.

વર્ષ 2003માં ધર્મદેવના પત્નીની મોત થઈ ગઈ તે દરમિયાન ધર્મ અને કર્મકાંડમાં ન્હાવાની પરંપરા હોય છે પરંતુ ઘણું કહેવા છતાં તેઓ ન ન્હાયા. પછી બે-બે પુત્રના મોત થયા ત્યારે પણ તેઓ ન ન્હાયા. જેના કારણે ગામમાં અનેક પ્રકારની વાતો થવા લાગી. આવી અજીબ પ્રકારની જીદને જોઈ લોકો તેમને માનસિક બિમાર અથવા તો તંત્ર-મંત્રનો મામલો ગણાવવા લાગ્યા. પરંતુ છતાં ધર્મદેવે કોઈની વાત પર ધ્યાન ન આપ્યું. દ્રઢ પ્રતિજ્ઞ ધર્મદેવ ભગવાન રામના ભક્ત છે. અને તેમને અનેક પ્રકારના વચણ અને કસમ ખાધી છે જે તેઓ છેલ્લા શ્વાસ સુધી નિભાવશે.

ધર્મદેવ કોલકાતામાં એક ફેક્ટરીમાં કામ કરતાં હતા. પરંતુ ન ન્હાવાના કારણે તેમની નોકરી જતી રહી. છતાં તેઓને કોઈ ફરક ન પડ્યો. શરીરમાંથી અતિદુર્ગંધ પણ આવે છે અને લોકો તેમને વારંવાર ન્હાવાનું પણ કહે છે. પણ તેઓ ન્હાવા માટે બિલકુલ તૈયાર નથી. આ બધામાં તેઓ દશકોથી નથી ન્હાયા.

62 વર્ષની ઉંમરમાં આ વૃદ્ધ ક્યારેય બિમાર પણ નથી પડતાં. તમને જણાવી દઈએ કે, આવી જ રીતે ઈરાનના અમો હાજી પણ છેલ્લા 67 વર્ષથી નથી ન્હાયા. આ શખ્સ ઈરાનમાં રહે છે જેમની ઉંમર 87 વર્ષ છે. જેઓને દુનિયાના સૌથી ગંદા માણસ કહેવાય છે.

આ પણ વાંચો :-