Sunday, Mar 23, 2025

સુપ્રીમ કોર્ટે ઘણા રાજ્યોની જેલોમાં જાતિ આધારિત ભેદભાવ પર કડક બન્યા

2 Min Read

સુપ્રીમ કોર્ટે ઘણા રાજ્યોની જેલોમાં જાતિ આધારિત ભેદભાવ પર આજે ગુરુવારે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, જેલમાં જાતિના આધારે ભેદભાવ ન થઈ શકે. જેલોમાં બનાવેલ આ નિયમ નાબૂદ થવો જોઈએ. જેલ સત્તાવાળાઓએ કેદીઓ સાથે માનવીય વર્તન કરવું જોઈએ. કેદીઓ વચ્ચે વિભાજન માટે જાતિનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે દુશ્મનાવટ તરફ દોરી જશે. કેદીને પણ સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે.

Sensitive inputs delaying appointments of Chief Justices: Centre to Supreme Court - India Today

Cડાએ વધુમાં કહ્યું કે ડૉ. આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વર્ગની સામાજિક-આર્થિક સ્થિતિ તેના જુલમનો આધાર બની શકે નહીં. ન તો ભૂતકાળમાં અમુક આદિવાસીઓને ગુનેગાર કહેવાનું યોગ્ય હતું અને ન તો આજે તેમને રીઢા ગુનેગારોની શ્રેણીમાં મૂકવું યોગ્ય છે. અમે નિર્દેશ આપી રહ્યા છીએ કે દરેક રાજ્ય 3 મહિનામાં તેની જેલ મેન્યુઅલમાં સુધારો કરે. કેન્દ્ર સરકારે મોડેલ જેલ મેન્યુઅલમાં લખવું જોઇએ કે જેલમાં જાતિના આધારે ભેદભાવ ન થઇ શકે.

કોર્ટે કહ્યું કે, આવી જોગવાઈઓ ગેરબંધારણીય ગણાય છે. તમામ રાજ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે તે નિર્ણય અનુસાર ફેરફાર કરે. રીઢા ગુનેગારો કાયદાના સંદર્ભમાં હશે, પરંતુ રાજ્ય જેલ મેન્યુઅલમાં રીઢા ગુનેગારોના આવા તમામ સંદર્ભો ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે. દોષિત કે અન્ડરટ્રાયલ કેદીઓના રજિસ્ટરમાંથી જાતિ કૉલમ દૂર કરવામાં આવશે. આ અદાલત જેલોની અંદરના ભેદભાવની સ્વતઃ સંજ્ઞાન લે છે અને રજિસ્ટ્રીને ત્રણ મહિના પછી જેલોની અંદરના ભેદભાવની યાદી આપવા અને રાજ્યની અદાલત સમક્ષ આ નિર્ણયના પાલનનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article